Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જામનગરની ખાનગી હોસ્પિટલોમાં હવે કોરોના ના દર્દીઓ ની સારવાર કરાશે : જામનગર ખાતે આરોગ્ય સચિવ જયંતિ રવિની જાહેરાત

જામનગર ::::જામનગર ખાતે હવે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જામનગરની ખાનગી હોસ્પિટલોમાં હવે કોરોના ના દર્દીઓ ની સારવાર કરાશે. તેમ જામનગર ખાતે આરોગ્ય સચિવ જયંતિ રવિએ  જાહેરાત કરી છે.

જામનગરમાં  આરોગ્ય સચિવ જ્યંતી રવિ જામનગર પહોંચ્યા હતા. કલેકટર ઓફિસે  કલેકટર રવિશંકર દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. આ વેળાએ મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલ,ડીડીઓ,આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.હાલમાં કલેકટર કચેરીએ બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.

(4:02 pm IST)