Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સ્વ.નગીનદાસ સંઘવીને શ્રધ્ધાંજલી અર્પતા પૂ. મોરારીબાપુ

ભાવનગર તા.૧૩: પૂ.મોરારીબાપુએ લેખક સ્વ.નગીનદાસ સંધવીને શ્રધ્ધાંજલી અપર્ણ કરતા કહ્યું હતું કે, હું જયારે એમને પહેલી વખત મળ્યો ત્યારથી 'બાપા'કહીને જ સંબોધતો રહ્યો છું. આજે અચાનક બાપાએ એમની શતાયુ યાત્રા પૂરી કરી લીધી છે. જેઓ 'તડ અને ફડ'લખતા રહ્યા એમણે જીવન સાથે પણ થોડાં જ કલાકોમાં તડફડ કરી લીધું છે.

એમને હું શ્રદ્ઘાંજલિ તો શું આપું ? મને આ વયોવૃદ્ઘ, જ્ઞાનવૃદ્ઘ અને અનુભવવૃદ્ઘ વડીલનો સત્સંગ સતત મળતો રહ્યો. એક સાચા શબ્દસેવી એવા પૂજય બાપના નિર્વાણને હું મોરારિબાપુ હૃદયથી પ્રણામ સહ શ્રદ્ઘાંજલિ અર્પણ કરું છું. એમનાં પરિવારજનોને પણ મારા પ્રણામ. જેમનું સમગ્ર જીવન શ્લોકમય હોય તેમની વિદાયનો શો શોક કરવો ? એમની ચેતનાને પુનઃ પ્રણામ કરું છું. તેમ પૂ. મોરારીબાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું.

(11:49 am IST)