Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મોરબી જિલ્લામાં ૯૧ હજાર હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર

મોરબી તા.૧૨ : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષેઙ્ગ પડેલા વરસાદ બાદ જગતના તાત વાવણીના કાર્યમાં જોડાઈ ગયા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોની જમીનને અનુરૂપ ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણી ખેડુતો કરી રહયા છે.

 ચોમાસાના પ્રારંભ બાદ જિલ્લામાં પડેલા વરસાદને ધ્યાને લઈ તા.૦૬ઙ્ગ સુધીમાં જિલ્લાની ૯૧,૨૮૭ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીઙ્ગ ડી.બી. ગજેરા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ જિલ્લાનો છેલ્લા ત્રણ વર્ષનો સામાન્ય વાવેતર વિસ્તાર ૩,૩૫,૮૯૯ હેકટર રહયો છે. તેની સામે અત્યાર સુધીમાં જિલ્લાની ૯૧,૨૮૭ હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે. વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી કપાસ (પિયત)નું ૭૧,૧૦૮ હેકટર, મગફળી ૧૪,૮૭૬ હેકટર, તલ ૨૪૭ હેકટર, બાજરી ૧૦ હેકટર, શાકભાજી ૩૦૦ હેકટર અને દ્યાસચારાનું ૪,૭૪૬ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકામાં ૪,૭૮૦ હેકટર જમીનમાં, માળીયા તાલુકામાં ૧,૩૯૦ હેકટર જમીનમાં, ટંકારા તાલુકામાં ૩,૬૮૫ હેકટર જમીનમાં, વાંકાનેર તાલુકામાં ૨૫,૯૯૧ હેકટર જમીનમાં, હળવદ તાલુકામાં ૫૫,૪૪૫ હેકટર જમીનમાં મળી અત્યાર સુધીમાંઙ્ગ જિલ્લાની કૂલ ૯૧,૨૮૭ હેકટર જમીનમાં ખેડૂતોએ ખરીફ વાવેતર કર્યું છે.

(11:36 am IST)