Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

કેશોદ કોંગ્રેસ દ્વારા કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે મામલતદારને આવેદન પાઠવ્યું

 

કેશોદ :કેશોદ કોંગ્રેસ દ્વારા કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે મામલતદારને આવેદન પાઠવ્યું હતું  રાજ્યમાં કથળેલ કાયદો અને વ્યવસ્થાને કારણે સમગ્ર ગુજરાતની જનતા ગુંડાઓ, માફીયાઓ ,વ્યાજખોરો, ખંડણીખોરો,બુટલેગરો,રેત માફીયાઓ, ચોરો, અપહરણકર્તાઓ, ખુનીઓ, બળાત્કારીઓથી પિડીત છે. લોકોને કાયદાનો કોઈ ડર નથી, ભાજપ સરકારના રાજમાં મહિલાઓ પણ સલામત નથી માટે કથળેલ કાયદો અને વ્યવસ્થા સુધરે તે માટે સૌ કોંગ્રેસ કાર્યકર મિત્રોએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું

આવેદન પાઠવતી વેળાએ  કેશોદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો, હોદેદારો, યુથ કોંગ્રેસ, NSUI ના હોદ્દેદારો તેમજ યુવા કાર્યકરો  ઉપસ્થિત રહ્યા હતા.તેમ અકિલાના વાંચક વાઢીયા મિતલકુમાર જણાવે છે

(12:29 am IST)