Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

માળિયાના સરવડ-બરાર વચ્ચે બે ટ્રક સામસામા અથડાતા બંને ચાલકોના મોત

માળિયા : માળીયા તાલુકાના સરવડ અને બરાર ગામ પાસે સવારે બે ટ્રક સામસામા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને ટ્રકના ચાલકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક ટ્રકના ક્લીનરને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા મીયાણા પોલીસ મથકમાંના ક્રિપાલસિંહ ચાવડા પાસેથી મળતી વિગત મુજબ તાલુકાના સરવડ અને બરાર ગામ વચ્ચે સવારના સમયે પોતનો ટ્રક  નબર gj 01 ht 6214 લઈને રસુલભાઈ દાઉદભાઈ કણજા  (ઉ.વ.૫૪ ) પ્લાસ્ટીકના દાણા ભરી માળિયા થી અમદાવાદ તરફ જતા હતા ત્યારે સામેથી રોગ સાઈડમાં ટ્રક લઈ આવતા  ધીરુભાઈ ભૂંસાભાઈ દેવીપૂજક (ઉ.વ.૬૨ , રહે. ઉપલેટા)  પોતની ટ્રક નબર gj 06 z 9425  બટેકા ભરી ઉપલેટા થી જામનગર તરફ જતા હતા ત્યારે આ બને ટ્રક સામસામા અથડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા થવાથી એક આઇસર ટ્રકના ચાલક ધીરુભાઈ ભૂંસાભાઈ દેવીપૂજકનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથેનો ક્લીનર વિવેકભાઈ વલ્લભભાઈ સોલંકી (ઉ.વ.૨૫) અને સામેના આઇસર ટ્રકના ચાલક રસુલભાઈ દાઉદભાઈ કણજા (ઉ.વ.54) ને ગંભીર ઇજા થતાં આ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રસુલભાઈ દાઉદભાઈનું પણ મોત નીપજ્યું હતું.પોલીસે બન્ને મૃતકોના પી.એમ કરાવી મુર્તદેહ તેમના પરિવારને સોપવાની કામગીરી હાથ ધરી હતી પણ અકસ્માત ને લીધે બને પરિવારોમાં શોકનો મોજું ફરી વળ્યું હતું આ અગે ટ્રક અકસ્માતમાં મૃત્ય પામનાર રસુલભાઈ દાઉદભાઈ કણજા ના સાળા અકબર હાસમ ફૂલધારા રહે,અમદાવાદ વાળાએ અઈસર ટ્રકના મૃતક ડ્રાયવર ધીરુભાઈ ભૂંસાભાઈ વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેની વધુ તપાસ કે.વી.ચાવડા ચલાવી રહ્યા છે  

(1:36 pm IST)