Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

જાંબાઝ જવાનો સામે વાયુ વામણો : ભાવનગરમાં 15 ગર્ભવતી મહીલાઓને શિફ્ટ કરાઈ, અમરેલી જિલ્લામાં પણ પ્રસુતાને મદદ

વાયુ વાવાઝોડામાં પણ જાંબાઝ એનડીઆરએફ ટીમની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે.

ભાવનગર કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ગઇકાલે રાતે 12.30 કલાકે 15 ગર્ભવતી મહિલાઓને વાયુ વાવાઝોડાનાં કારણે શિફ્ટ કરવામાં આવી હતી. જેમાંથી 4 પ્રસૂતિ થઇ છે જે સફળ રહી છે. બાળકો અને માતાની તબિયત સારી છે

  અમરેલી જિલ્લામાં સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રસૂતિપીડા ઉપડી હતી. જે બાદ એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડની ટીમ તાત્કાલિક તે મહિલાને બોટમાં શિયાળબેટ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવી હતી. જે બાદ મહિલાને પ્રસૂતિ માટે NICU ફેસિલિટી ધરાવતાં સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જેની માહિતી અમરેલી જિલ્લાના કલેક્ટરે આપી હતી.

(1:33 pm IST)