Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જામનગર જિલ્લામાં બીજે દિ' પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો ઘટાડો યથાવત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : જામનગરમાં સ્વસ્થ દર્દીઓની સંખ્યામાં ગઈકાલે પણ વધારો થયો છે. બુધવારે ૫૭૪ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. અને જામનગર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને ૫૧૧ થઈ હતી.

સતત ચોથા દિવસે નવા પોઝિટિવ કેસ ઘટતા જામનગર જિલ્લામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે જામનગર જિલ્લામાં ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. જામનગર શહેર- જિલ્લામાં બુધવારે ૨૪ કલાકમાં પોઝિટિવ કેસ નો આંકડો સતત ચોથા દિવસે ૫૦૦ની નજીક જતો જોવા મળ્યો છે.

બુધવારે શહેરમાં ૩૦૫ અને ગ્રામ્યમાં ૨૦૬ મળી જિલ્લાનો કુલ આંકડો ૫૧૧ જાહેર થયો છે. શહેરમાં ૩૦૪ દર્દીઓ અને ગ્રામ્યમાં ૨૭૦ દર્દીઓ સ્વસ્થ થયાં છે. ગઈકાલે શહેરમાં ૩ મોત અને જિલ્લાના ગ્રામ્યમાં ૨ મોતની સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

(12:58 pm IST)