Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જુનાગઢમાં નાઇટ કર્ફયુ-જાહેરનામાનો ભંગ કરનાર ૩પ શખ્સો સામે કાર્યવાહી

કોરોના કાળમાં પણ લોકોને સમજવું નથી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: જુનાગઢમાં નાઇટ કર્ફયુ અને જાહેરનામાનો ભંગ કરનાર વધુ ૩પ શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ સહિતનાં શહેરોમાં ૧૮ મે સુધી રાત્રી કર્ફયુ લંબાવવામાં આવ્યો છે. આમ છતાં રાત્રે આંટા-ફેરા કરતાં શખ્સો સામે કાર્યવાહી કરવા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ એ સુચના જારી કરતાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગઇકાલે પણ શહેર પોલીસે વધુ ૩પ ઇસમો સામે કાર્યવાહી કરી હતી.

જેમાં એ ડીવીઝન પોલીસે ૧પ, બી ડીવીઝન પોલીસે ૧૩ અને સી ડીવીઝન પોલીસે ૭ શખ્સો સામે પગલા ભર્યા હતા.

(12:55 pm IST)