Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પોરબંદરમાં કોરોનાથી વધુ ૧ મૃત્યુઃ નવા ૩૪ પોઝીટીવ કેસઃ ૩૩ દર્દીઓ સાજા થયા

(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩: કોરોનાની સારવારમાં ર૪ કલાકમાં વધુ એક દર્દીએ દમ તોડી દીધો હતો. જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૩૮ પહોંચ્યો છે.

ગઇકાલે પ૯૯ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૩૪ વ્યકિતના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા. આ નવા ૩૪ પોઝીટીવ કેસ બોખીરા તુંબડા ઓડદર ધરમપુર મોકર વગેરે વિસ્તારમાંથી આવ્યા.

કોરોનાની સારવારમાં ૩૩ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સિવિલ હોસ્પીટલમાં હાલ નવા ૪૦ દર્દીઓ કોરોનાની સારવારમાં છે. જીલ્લામાં ૧૪પ વ્યકિત હોમ આઇસોલેશનમાં છે.

(12:51 pm IST)