Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ભાયાવદર સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા સુરક્ષા કિટનું વિતરણ

ભાયાવદરઃ માઇલ્ડ અબે મોડરેટ કોરોના દર્દીઓ માટે સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન ભાયાવદર દ્વારા દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી ભાયાવદર સ્વામિનારાયણના રામાનુજ સ્વામી, ભકિત સ્વામીની દેખરેખ નીચે પ૦૦ જેટલા કિટનું ભાયાવદર, પાનેલી, કોલકી, ઉપલેટા સહિત તાલુકામાં વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતવાળા દર્દીઓએ કિટ માટે ઉપલેટામાં વિજયભાઇ ગજેરા અને તાલુકાના અન્ય ગામો માટે નીતીનભાઇ દવેનો સંપર્ક કરવા જણાવ્યું  છે.(તસ્વીર-અહેવાલઃ રમેશ સાંગાણી -ભાયાવદર)

(11:54 am IST)