Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દ્વારકા દરિયા કિનારે ૮ ખલાસી સાથેનું વહાણ તણાઇ આવતા તપાસનો ધમધમાટ

દ્વારકા દરિયા કાંઠે સિકકાથી વેરાવળ જઇ રહેલું કોલસા ભરેલુ વહાણ તણાઇ આવ્યું હતું તેમાં આઠ ખલાસીઓ છે, તે બધા ભારતીય છે .આઇબી અને પોલીસ દોડી ગઇ છે.(તસ્વીરઃ દીપેશ સામાણી દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૩ : દ્વારકાના દરિયા કિનારે સિકકાથી વેરાવળ જતુ કોલસા ભરેલ વહાણ ૮ ખલાસીઓ સાથે આવતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

દ્વારકામાં ગોમતીઘાટના સંગમ નારાયણ મંદિર પાછળના દરિયા કિનારે એક અજાણ્યું વિશાળ ટગ જહાજ જોવા મળ્યું છે. સાંજના છ વાગ્યાથી મોડી રાત્રી સુધી ટગ ત્યાંજ લાંગરેલુ જોવા મળ્યું હતું. કોસ્ટગાર્ડ અને ફિશરીઝ વિભાગ ઉપરાંત સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

સ્થાનીક લોકોનાં કહેવા પ્રમાણે, વિશાળ ટગમાં અમુક ઇસમો હલન ચલન કરતા નજરે પડયા હોય તેમ કેમેરામાં કેદ થયેલ છે. વળી આ ટગમાં નિયમ પ્રમાણ્નો કોઇપણ ફલેટ પણ ફરકતો જોવા મળ્યો નહોતો.

(11:52 am IST)