Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જામજોધપુરમાં સર્વ જ્ઞાતીય નિઃશુલ્ક કોરોના રેપીડ ટેસ્ટની કામગીરી

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા. ૧૩: જામજોધપુર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શહેરમાં સર્વજ્ઞાતિય માટે નિઃશુલ્ક કોરોના રેપીડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં મેડિકલ સ્ટાફ સાથે શહેરના આગેવાનો નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડિયા, ભાજપ અગ્રણી પ્રફુલભાઇ ભાલોડિયા સહિત વગેરે આગેવાનો જોડાયા હતા. અને લોકો પણ જાગૃત બન્યા હતા અને કોરોના ટેસ્િંટગ કરાવ્યા હતા.

(11:51 am IST)