Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજકોટના સામુહિક આપઘાત કેસમાં દાખલારૂપ સજા કરાવવા કોડીનાર બ્રહ્મસમાજ દ્વારા આવેદન

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૧૩: રાજકોટ શહેરના નાના મવા રોડ ઉપર શિવમ પાર્ક માં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ પરિવારે કોરાટ પરિવારને મકાન વેચવા બાબતની ઘટનામાં પૈસાની લેતી દેતી બાબતે છેતરપિંડીનો ભોગ બનતા પુત્ર-પુત્રી ને ઝેરી દવા પાઈને પોતે દવા પી લઈ અને દવા પીવાની ઘટનામાં પાંચ શખ્શોનો ઉલ્લેખ કરતી સુસાઈટ નોટ લખી હોવાની ઘટના અંગે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને આજરોજ રાજકોટ પોલીસ કમિશનર ને એક વિસ્તૃત આવેદન પત્ર કોડીનાર મામલતદાર મારફતે મોકલીને આ ઘટનાની સી.બી.આઇની તપાસ કરવા અને જવાબદારો સામે દાખલા રૂપ કાર્યવાહી કરવા માંગણી કરી છે.

ઘટનાની સી.બી.આઇ મારફત તપાસ ગુનેગારો વિરુદ્ઘ દાખલારૂપ સજા કરાવવા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ છેલભાઇ જોષીએ માંગણી કરતો પત્ર રાજકોટ પોલીસ કમિશનરને મોકલી આપ્યો છે.

(11:45 am IST)