Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગુજરાત આયુર્વેદ હોસ્પિટલના ફાર્મસી વિભાગની મુલાકાત લેતા આર.સી.ફળદુ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂનમબેન માડમ

કોરોનાની મહામારીમાં આયુષ વિભાગની ગાઇડલાઇન મુજબ શમશમની વટી, પથ્યાદી કવાથનો નગરજનોએ ઉપયોગ કરવા અનુરોધ કરતા રાજયમંત્રીશ્રીઓ અને સાંસદશ્રી

જામનગર, તા.૧૩: ગુજરાત આયુર્વેદ હોસ્પિટલના ફાર્મસી વિભાગ ખાતે આયુષ વિભાગની ગાઇડ લાઇન મુજબ કોવિડ-૧૯ની મહામારીથી બચવા લોકોની રોગપ્રતિકારક શકિત વધે તે હેતુથી ઉપયોગમાં લેવાતી શમશમનીવટી, પથ્યાદી કવાથ,ગુજરાત આયુર્વેદ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવે છે, આજરોજઙ્ગ રાજયના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા તે સ્થળની મુલાકાત લેવામાં આવેલ હતી.

આયુર્વેદ ઉપચાર પદ્ઘતિએ ભારતીય સૌથી જૂની પદ્ઘતિ છે.હાલ કોરોનાની મહામારીમાં આયુર્વેદ અને સાથે જ અમુક ઘરગથ્થુ ઉપચારો જેવા કે હળદરવાળા દૂધનું સેવન, સૂંઠનો પ્રયોગ ઘણી હદે આપણને કોરોના મહામારીથી બચાવે છે. આ જ આયુર્વેદ પદ્ઘતિઙ્ગ દ્વારા રોગપ્રતિકારક શકિત વધારવા આપણા શહેરમાં કાર્યરત આયુર્વેદિક યુનિવર્સિટીનો ફાર્મસી વિભાગ દવાઓ બનાવે છે તેમ જણાવતાં સાંસદશ્રી પૂનમબેન માડમે કહ્યું કે, લોકો વધુને વધુ આયુર્વેદનો ઉપયોગ કરે જેનાથી કોરોના મહામારીથી બચવા લોકો સક્ષમ થશે.સાંસદશ્રી પૂનમબેન માડમે ઉમેર્યું કે,આ ઉપચારો જામનગરના લોકો સમક્ષ મુકવા આયુર્વેદાચાર્યો પહેલ કરે.ઙ્ગ

આયુર્વેદના માધ્યમથી આ રોગ સામે તંદુરસ્ત રહી આ ઔષધિઓનો ઉપયોગ કરી તથા સૌ નાગરિકો ઘરમાં રહે, સ્વસ્થ રહે અને સુરક્ષીત રહે તેવો સાંસદશ્રી પૂનમબેન માડમે અનુરોધ કર્યો હતો.

આ મુલાકાત વખતે શહેર ભાજપ અધ્યક્ષશ્રી હસમુખભાઇ હિન્ડોચા, આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી વૈધ અનુપ ઠાકર, ફાર્મસી વિભાગના હેડ શ્રી વિમલ જોષી, આયુર્વેદ યુનિવર્સિટીના ઇ. રજીસ્ટ્રાર શ્રી એચ.પી.ઝાલા ઉપસ્થિત રહ્યાં હતા.

(1:05 pm IST)