Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હું જીંદગીથી કંટાળી આ ફાની દુનિયા છોડી જાવ છું પત્નિને ફોન કરી બાવાજી યુવાને મોત મીઠુ કર્યુ

મૃત તાલાલાના યુવાને કેશોદમાં આત્મઘાતી પગલુ ભરતા પત્નિ-પુત્ર નોંધારા બન્યા

કેશોદ, તા.૧૩: તાલાલા રહેતા બાવાજી યુવાને વતન કેશોદમા આવી ઘરે આત્મહત્યા કરી મોત મીઠુ કરી લેતા પરિવારમા શોકનુ માતમ છવાઈ ગયેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ તાલાલા ગીરમા પીપળવા રોડ, ભુતનાથ મંદિર પાસે રહેતા રમેશગર પ્રેમગર મેદ્યનાથી (ઉ.વ.૩૩) એ કાપડની ખરીદી કરવા જુનાગઢ જાવછુ તેમ પરિવારને જાણ કરી ઘરેથી નીકળયા હતા. કેશોદ ખાતેના તેમના વાસાવાડીની બાજુમા આવેલ ત્રિલોકપરામાં આવેલ તેમના મકાને બે દિવસ રોકાયા બાદ સવારે કેશોદથી તાલાલા જવા નિકળેલ પરંતુ લોકડાઉનને લઈને તેમને તંત્રદવારા રોકતા તેઓ કેશોદ ખાતેના તેમના નિવાસસ્થાને પરત ફરી તાલાલા તેમની પત્નિને મોબાઈલ કરી જણાવેલ કે હું આ જીંદગીથી કંટાળી ગયેલછું પુત્ર અને પરિવારનુ ધ્યાન રાખજે હું કેશોદ ધરે આત્મહત્યા કરી આ ફાની દુનિયા છોડી જાવ છુ.

આમ રમેશગરે પત્નિસાથે છેલ્લી વાત કરી ઘરે આત્મઘાતી પગલુ ભરી લીધેલ હતુ. તાલાલા રહેલ તેમના પરિવારે તાતકાલિક કેશોદના પોતાના મકાનની બાજુમાં રહેતા પાડોશીઓને આ અંગે જાણ કરતા પડોશીઓએ મકાનની વંડી ઠેકી તેમના ઘરે તપાસ કરતા રમેશગર પંખામાં દોરી બાંધી લટકી જઈ આત્મઘાતી પગલુ ભરી લીધાનું ધ્યાનમા આવતા તાલાલા રહેલ તેમના પરિવારને ફોનથી જાણ કરતા પરિવારે માથે વિજળી પડયા જેવો આઘાત અનુભવેલ હતો.

મૃતકના પિતાશ્રી પ્રેમગર ત્રિકમગર મેધનાથીએ આ અંગે કેશોદ પોલિસને જાણ કરતા પોલિસ સ્થળપર પહોંચી મૃતદેહને પોષ્ટમાર્ટમ માટે કેશોદ ખાતેની સરકારી હોસ્પિટલે પહોંચાડેલ હતો. આ અંગેની વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.જે ગોહેલ ચલાવી રહેલ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે મૃતક રમેશગર તેમના પરિવાર સાથે છેલ્લા પાંચ વર્ષથી કેશોદથી ધંધાર્થે તાલાલા જઈ કાપડનો ધંધો કરતા હતા. તેમના લગ્નજીવનમાં નવ વર્ષનો એક પુત્ર હોવાનુ તથ તેમના પરિવારમાં ફકત બે ભાઈઓમા મૃતક રમેશગર મોટા હોવાનુ જાણવા મળેલછે. મૃતક પોતાની પાછળ પત્નિ,પુત્ર, પિતા અને નાનાભાઈને વિલાપ કરતા છોડી ગયેલ છે.

(11:53 am IST)