Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

વિરમગામમાં કોરોના પોઝીટીવ ૨ દર્દીના મોત

૭૦ વર્ષના આધેડ અને ૬૫ વર્ષીય સંબંધીત નાનાભાઇનો પણ ભોગ લેતા અરેરાટી

વઢવાણ તા. ૧૩ : વિરમગામ શહેરમાં ૭૦ વર્ષીય આધેડનો રિપોર્ટ કરાતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યો હતો જેને સારવાર અર્થે અમદાવાદ હોસ્‍પિટલ ખસેડાયા હતા પરંતુ ગત મોડીરાત્રે ૭૦ વર્ષીય આધેડનુ મોત થયુ તેમજ તેમના ૬૫ વર્ષીય સંબંધિત નાનાભાઈને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો તેમના નાનાભાઈને સારવાર માટે સુરેન્‍દ્રનગર સીવીલ હોસ્‍પિટલ ખાતે ખસેડાયા હતા જેમનુ ગતરાત્રે તેમનું પણ મોત નીપજયું મોતને લઈને વિરમગામ શહેરમાં ભયનો માહોલ જોવા મળ્‍યો.

વિરમગામ શહેરમા ગઈકાલે મંગળવારે નોઘાયેલા બંને કોરોના પોઝેટીવ દર્દીઓના સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું છે.  ગઇકાલે એકજ દિવસમાં કોરોનાના ૨ પોઝેટીવ કેસ નોધાયા હતા.

યુસુફભાઇ સવાલી(ઉ.વ.૭૦) અને મુસ્‍તાકભાઇ સવાલી(ઉ.વ.૬૫) નામના બંને ભાઈઓના અમદાવાદ અને સુરેન્‍દ્રનગર હોસ્‍પીટલોમાં સારવાર દરમ્‍યાન મોત નિપજયા હતા.

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવ્‍યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં અત્‍યાર સુધીમાં કોરોનાવાયરસ ના ત્રણ કેસો સામે આવ્‍યા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં આવેલ થાનનો પોઝિટિવ કેસ ના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાલમાં તેમને રજા આપવામાં આવી છે ત્‍યારે બીજી તરફ બે દિવસ પૂર્વે સુરેન્‍દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આસુન્‍દ્રાળી ગામમાં એક મહિલા અને બાળક ને કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાની ગાંધી હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે રાખવામાં આવ્‍યા છે.

ત્‍યારે બીજી તરફ વિરમગામના એક ૬૫ વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણો દેખાતા સુરેન્‍દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા અને આ વૃદ્ધ નો રિપોર્ટ કરવામાં આવતા આ વૃદ્ધના કોરોનાવાયરસ ના પોઝિટિવ હોવાનું સામે આવ્‍યું હતું ત્‍યારે આ વૃદ્ધને સારવાર અર્થે પણ સુરેન્‍દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્‍પિટલ ખાતે રાખવામાં આવ્‍યા હતા ત્‍યારે વાત કરીએ તો આ વૃદ્ધને ૧૧ મેના રોજ જિલ્લાની ગાંધી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

(11:40 am IST)