Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જુનાગઢમાં પાનની દુકાનને છૂટ આપો

પાન-બીડી વેપારી એસોસીએશન દ્વારા કલેકટરને રજૂઆત

જુનાગઢ, તા. ૧૩ : પાન-બીડીના રીટેઇલ વેપારીને ધંધો કરવા છુટ આપવા પાન-બીડી વેપારી એસો.એ કલેકટરને રજૂઆત કરી છે.

આ અંગે એસોસીએશનને પત્ર પાઠવેલ જુ જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરી વિસ્તારમાં 'કોવીડ' ના કારણે જાહેરનામા અન્વયે પ૦ દિવસથી પાન-બીડીનો વેપાર બંધ કરેલ છે. તંત્રના જાહેરનામાને અમો સંપૂર્ણ માન આપી હાલ અમોએ અમારો પાન-બીડીનો રીટેઇલ વેપાર બંધ રાખેલ છે જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ થયેલ છે.

વધુમાં તેઓ જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં અમકુ વેપારીઓ પોતાનો ધંધો ભાડે દુકાન રાખીને કરી રહ્યા છે જેની આર્થિક પરિસ્થિતિ અત્યંત નાજુક થઇ ગયેલ છે. તેમજ બાકીના બધા વેપારીઓને પણ કુટુંબ નિભાવવું મુશ્કેલ થઇ ગયું છે.

અંતમાં પાન-બીડીના જુનાગઢના રીટેઇલર વેપારીઓને ધંધો કરવા નિયમઅનુસાર પરવાનગી આપવા માંગ કરી છે.

(11:36 am IST)