Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મોરબીના મયુરપુલ પરથી પડી જતા મહિલાનું મોત :ઘૂટુંમાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

 

મોરબીના મયુરપુલ પરથી પડી ગયેલી મહિલાની રાજકોટ સારવાર કરવામાં આવી હતી અને બાદમાં ઘરે તેનું મોત થયું છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કુબેરરોડ પર રહેતા રઝીયા આમદ કાસમાંણી તા. ૦૬ ના રોજ મોરબીના મયુર પુલ પરથી પડી જતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડ્યા હતા અને સારવાર લઇ ઘરે હતા દરમિયાન શ્વાસની તકલીફ થતા તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

મોરબીના ઘૂટું ગામના રહેવાસી વર્ષાબેન ધીરૂભાઈ પરમાર (..૨૨) નામની યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ ચલાવી છે

 

(12:53 am IST)