Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જૂનાગઢમાં પત્રકાર ઉપર હુમલો કરવાના બનાવમાં પીએસઆઈ અને બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ::: જૂનાગઢમાં ગઈકાલે સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત ચૂંટણી દરમિયાન કવરેજ કરી રહેલ પત્રકારો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા અને જૂનાગઢ ખાતે એસપી કચેરી ખાતે પત્રકારો દ્વારા ગત રાતથી જ ધરણા કરવામાં આવ્યા હતા અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે તબલા પરવા બુલંદ કરવામાં આવી હતી ત્યારબાદ આજે જુનાગઢ આઈજી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ સિંઘ દ્વારા આ પ્રકરણમાં પીએસઆઇ જે.પી. ગોસાઈ તથા કોન્સ્ટેબલ ભરત એ ચાવડા અને વિજય મેઘાભાઇ બાબરિયા સામે પગલા ભરવામાં આવ્યા છે અને ત્રણેય ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

(9:49 pm IST)