Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જુનાગઢમાં થયેલ પત્રકારોના હુમલા અંગે કચ્છ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું: કાર્યવાહી કરવા માંગ

લાઠીચાર્જમાં સંડોવાયેલ તમામ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી

ભુજ : લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર જગતના કર્મચારીઓ ગઈકાલે જુનાગઢમાં ન્યૂઝ કવરેજ કરી રહ્યા હતા ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના રાજ્યના પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

  આ લાઠીચાર્જ ઘટનામાં સંડોવાયેલા તમામ.પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કચ્છનાં પત્રકારોએ કરી છે.આ મામલે પોલિસ વડા સૌરભ તોલંબિયા અને અધિક કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયું છે.

(7:28 pm IST)