Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કાલે જાજા રૂપિયા આપવાના છે, કયાંયથી આવે તેમ નથી, ચિઠ્ઠી લખી મોરબીનું દંપતિ ગૂમ

મોરબી, તા.૧૩: મોરબીના રહેવાસી પતિ પત્ની ગુમ થતા તેના સગા દ્વારા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે તેમજ ગુમ થયેલ પતિ-પત્ની તેના મામાના નામે ચિઠ્ઠી છોડતા ગયા છે જેમાં દેણુ વધી જતા પરત ફરશે કે નહિ તે જાણતા ના હોવાનું જણાવ્યું છે

મોરબીના શનાળા રોડ પરના શ્રદ્ઘા એપાર્ટમેન્ટના રહેવાસી જીમીતભાઈ દિલીપભાઈ પરમારે પોલીસ મથકમાં જાણ કરી છે કે તેના મામા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૮) રહે મોરબી શનાળા રોડ અને તેની મામી હેતલબેન પ્રકાશભાઈ રાઠોડ ગત તા. ૦૮-૦૪ના રોજ ઘર છોડી કોઈને કહ્યા વિના જતા રહ્યા છે અને શોધખોળ કરવા છતાં મળી આવ્યા નથી તેમજ મામાના હસ્તાક્ષરમાં ચિઠ્ઠી મળી છે જેમાં લખેલ છે કે હિપાભાઈ કાલે પૈસા જાજા આપવાના છે પણ કયાયથી આવે તેમ નથી કે હું આપી સકું તેમ નથી એટલે હું અને તારા મામી બાપુ તથા તને કીધા વગર જાયશી કયાં જાવ છું ઈ પણ ખબર નથી તો મારા ભાઈ માનવનું તું ધ્યાન રાખજે સાચવજે હું પાછો આવું કે નહિ તે પણ નક્કી નથી તેવી ચિઠ્ઠી મળી હોવાનું પણ જાહેર કરનારે જણાવ્યું છે અને તપાસ કરતા ગુમ થનારને દેવું વધી જતા બધા ઉઘરાણી કરતા હોય અને ગુમ થનાર પાસે તેમને આપવા માટે પૈસા ના હોય જેથી તેના દીકરાને પણ મૂકી જતા રહ્યા છે.

(3:40 pm IST)