Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મોડીરાત્રે અંજારના સિનુગ્રા પાસે હિટ એન્ડ રન : અજાણ્યા વાહને અડેફેટ લેતા બાઇકસવાર ત્રણ યુવાનોના કરૂણમોત

હોસ્પિટલમાં ડોક્ટરોનાં અભાવે ઇજાગ્રસ્ત યુવાનનું મોત થયાનો આક્ષેપ :મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇન્કાર

 અંજાર તાલુકાનાં સિનુગ્રા ગામ પાસે મોડી રાતે હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલ પર જતા યુનાનોને અડફેટે લેતા ત્રણ યુવાનોના કરૂણમોત મોત નીપજ્યાં છે.આ યુવાનો સિનુગ્રા ગામનાં મહેશ્વરી સમાજનાં હતાં. જેના કારણે આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

 મળતી વિગત મુજબ બે યુવાનોનાં મોત ઘટના સ્થળે જ નીપજ્યાં હતાં જ્યારે અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવાનનાં પરિવારનો આક્ષેપ છે કે અંજારની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનાં અભાવે ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું છે. જ્યાં સુધી અમને તે હોસ્પિટલમાં તબીબોની ઘટ પુરવાની લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે અમારા દીકરાનો મૃતદેહ નહીં સ્વીકારીએ.

    અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે સિનુગ્રાનાં 24 વર્ષનાં વિરેન્દ્ર ઉર્ફે વિનોદ નાનજી મહેશ્વરી, 18 વર્ષનાં નીતિન મહેશ્વરી અને 18 વર્ષનાં અશ્વિન મહેશ્વરી બાઇક નંબર GJ-12 BE 1814 પર મોડી રાતે ગામની નજીક હાઇવે હોટલ પર ચા પીવા જતા હતાં

  દરમિયાન અંજાર-મુંદરા હાઇવે પર અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી. જેમાં ઘટના સ્થળે જ નીતિન અને અશ્વિનનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિરેન્દ્રને અંજાર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

 
 
   
(2:10 pm IST)