Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

નખત્રાણાના નિરોણા નજીક જીપ ઉથલતા કોળી સમાજના ૧૯ જાનૈયાઓને ઇજા

ભુજ તા. ૧૩ : લગ્નસરાની મૌસમ દરમ્યાન ભુજ નખત્રાણા વચ્ચે બનેલા માર્ગ અકસ્માતમાં ૧૯ લોકો ઘવાયા હતા. પોલીસ ચોપડે નોંધાયેલ હકીકત મુજબ નખત્રાણાના કોટડા ગામે થી લગ્ન પતાવીને વર વધુને લઈને ભુજના ઝુરા ગામે પરત આવી રહેલ કોળી સમાજના જાનૈયાઓની પિકઅપ જીપનું ટાયર ફાટતાં જીપ બેકાબૂ બનીને રસ્તાની સાઈડે પલટી ખાઈને આડી પડી ગઈ હતી. બીબ્બર ગામ પાસે બનેલા અકસ્માતના આ બનાવમાં નાના મોટા ૧૯ જેટલા જાનૈયાઓને ઇજા થઇ હતી.

અકસ્માતના બનાવ બાદ તમામ ઇજાગ્રસ્તોને ભુજની સરકારી હોસ્પિટલના સારવાર માટે ખસેડાયા હતા. તમામ ઇજાગ્રસ્તો ભય મુકત છે. પોલીસે અકસ્માત અંગે ડ્રાઇવર વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:26 am IST)