Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કેશોદના ખીરસરામાં જમણવાર બાદ 100 લોકોને ફૂડ પોઇઝનિંગ: આરોગ્ય વિભાગની ટીમ પહોંચી

જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતા જિલ્લા અને તાલુકાની આરોગ્ય ટીમ ઘટના સ્થળે

કેશોદના ખીરસરા ગામે લગ્ન પ્રસંગના જમણવાર બાદ 100 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા જિલ્લા અને તાલુકાની આરોગ્ય ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પરિસ્થિતીને જોતા કેશોદથી 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ખીરસરા ગામે પહોંચી હતી. જેમાં ખોરાકી ઝેરની અસરનો ભોગ બનેલા લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ જરૂર જણાતા તમામ લોકોને જૂનાગઢ ખસેડાયા હતા

(11:19 pm IST)