Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કોરોનાના બિહામણા ચિત્રથી ફફડતા લોક માનસ પર પોઝિટિવિટીના સાથિયા પુરાયા

સુરેન્દ્રનગરના DYSP હિમાંશુ દોશી ટીમ દ્વારા સમગ્ર શહેરમાં હકારાત્મક સુવાકયો : આ પ્રયોગ સમગ્ર ઉત્તર સૌરાષ્ટ્રમાં કરવા રેન્જ વડા સંદિપસિંહ તત્પર

રાજકોટ તા. ૧૩ : ચોતરફ અખબારો હોય કે ટીવી ચેનલ કે સોશિયલ મીડિયા ચોતરફ કોરોના મહામારીથી સર્જાયેલ ગંભીર પરસ્થિતિને કારણે મોતના તાંડવ અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓની જ ચર્ચાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ત્યારે લોકોમાં ઉઠતા બેસતા જાગતા સર્વત્ર ભયમાં જીવે છે, આવી પરસ્થિતિમાં લોકોમાં જાગૃતિ ફેલાય, ડર નહિ તે માટે સુરેન્દ્રનગરના વિભાગીય વડા હિમાંશુ દોશી ટીમ દ્વારા સમગ્ર સુરેન્દ્રનગરમાં લોકોનો ભય દૂર કરી જાગૃતિ માટે સુવાકયો લખાયા છે.

સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડિયા તથા રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ સાથે ચર્ચા બાદ આ નવતર પ્રયોગ રાજકોટ જિલ્લા, જામનગર જિલ્લા, દ્વારકા જિલ્લા સહિત આ પ્રયોગ વિસ્તારવા આવશે તેમ રાજકોટ રેન્જ વડા દ્વારા જણાવાયું છે.

(3:03 pm IST)