Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

માતાના મઢમાં ઘટસ્‍થાપન સાથે જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

કોરોનાને કારણે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ હોઈ શાંતિ અને સાદગીપૂર્ણ માહોલમાં વિધિ સંપન્ન

(ભુજ) કચ્‍છના પ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરા માતાજીના મંદિર માતાના મઢ મધ્‍યે પરંપરા અનુસાર ઘટસ્‍થાપન ની વિધિ સાથે જ ચૈત્રી નવરાત્રિ નો પ્રારંભ થયો છે.  ગાદીપતિ રાજાનાવા યોગેન્‍દ્રસિંહજીની ઉપસ્‍થિતિમાં આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. જોકે, કોરોનાને કારણે ફરી એક વખત મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ હોઈ સાદગીપૂર્ણ માહોલમાં આ વિધિ યોજાઈ હતી.

 

(11:32 am IST)