Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કચ્‍છમાં વધુ ૨ મોત : નવા ૫૦ દર્દીઓ સાથે એક્‍ટિવ કેસ વધીને ૪૧૧ થયા

ભુજપુર, રાતા તળાવ, રતનાલ, સંઘડ જેવા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કોવિડ સેન્‍ટર શરૂ : નાગલપર ગામે નવી હોસ્‍પિટલ બનાવાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ : કોરોનાની બીજી લહેરે કચ્‍છને બરાબર લપેટમાં લીધું છે. સતત ત્રીજા દિવસે પોઝિટિવ કેસનો આંકડો ૫૦ ઉપર પહોંચ્‍યો છે. ૨ મોત અને નવા ૫૦ દર્દીઓ સાથે કુલ એક્‍ટિવ કેસ ૪૧૧ થયા છે.

દરમિયાન મુખ્‍યમંત્રી વિજયભાઈએ સામાજિક સંસ્‍થાઓના સહયોગથી પ્રાથમિક લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓની સારવાર અને કવોરેન્‍ટાઈન દર્દીઓ માટે કોમ્‍યુનિટી કોવિડ હોસ્‍પિટલો શરૂ કરવાની કરેલી અપીલને પગલે કચ્‍છના ગ્રામ્‍ય વિસ્‍તારો મુન્‍દ્રા તા.ના ભુજપુર, અબડાસા તા.ના રાતા તળાવ, અંજાર તા.ના રતનાલ, સંઘડ જેવા ગામોમાં આવા સેન્‍ટર શરૂ કરાયા છે. તો, અંજાર તા.ના નાગલપર ગામે ૧૦ લાખના ખર્ચે નવી હોસ્‍પિટલ બનાવાશે.

(10:57 am IST)