Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

જેતલસરમાં પિતાને કાંધ આપ્યા બાદ ર પુત્રીઓએ મુખાગ્નિ અર્પી

છેલ્લા પ મહિનામાં ભુવા પરીવારમાંથી બબ્બે કંધોતર પુત્રોના અવસાનથી ગામમાં શોક

જેતલસર તા. ૧૩ :.. જેતલસર ગામમાં બિમારી સબબ મૃત્યુ પામેલા પ્રૌઢને સંતાનમાં પુત્રોનાં હોય, બે પરીણિત પુત્રીઓએ પિતાની અર્થીને કાંધ આપ્યા બાદ મુખાગ્નિ પણ આપતાં ઉપસ્થિત  ડાઘુઓની આંખો ભીની થઇ ગઇ હતી. સૌથી વધુ દુઃખની વાત તો એ બની કે છેલ્લા પાંચ જ મહિનામાં ભુવા પરીવારના બે ભાઇઓ અવસાન  પામતાં પરિવાર સહિતના ગ્રામજનોમાં શોક ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાનાં જેતલસર ગામે રહેતા ગોપાલભાઇ હિરજીભાઇ ભુવા (ઉ.પ૮) નું બિમારી બાદ અવસાન થયું હતું. પત્ની ચંદ્રીકાબેનની અથાગ સેવા પછી પણ ગોપાલભાઇ બચી શકયા ન હોતાં.

મૃત પિતાની અંત્યેષ્ટિ માટે પુત્રોની જરૂર પડતી હોય છે, પણ ગોપાલભાઇને સંતાનમાં બે પુત્રીઓ જ હોય, બન્ને દિકરીઓએ ભઇલાની ખોટ વર્તાવા દિધી નહોતી.

મોટી પુત્રી પુજાબેન પિયુષભાઇ હરખાણી (રાણપુર) તથા પાયલબેન જયદિપભાઇ ડોબરીયા (વિરપુર) એ ભાંગેલી અવસ્થામાં પિતાની અર્થીને કાંધ આપ્યા બાદ સ્મશાન ઘાટે ગોપાલભાઇનાં પાર્થિવ દેહને મુખાગ્નિ પણ આપતાં ઉપસ્થિત ગામનાં ડાઘુઓની આંખો ભીની થઇ હતી. અત્રે એ નોંધનીય છે કે સ્વર્ગિય ગોપાલભાઇમાં નાનાભાઇ રમેશભાઇ ભુવા પણ ગત તા. ૭-૧૧-૧૮ ને દિવાળીના દિવસે બિમારીી જ અવસાન પામતાં છેલ્લા પાંચ મહિનામાં બબ્બે ભાઇઓ ભુવા પરીવારે ગુમાવ્યાની વાતી ભુવા પરીવાર સહિતનાં ગ્રામજનોમાં શોક ફેલાયો છે.

(3:25 pm IST)