Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

જુનાગઢ મહેતા પરિવાર આયોજીત ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

 જુનાગઢ  તા ૧૦ :  ખલીલપુર રોડ સ્થિત ગોલ્ડન ફાર્મ સ્વ. કાનજીભાઇ કેશવભાઇ મહેતા તથા સ્વ. કિશોરભાઇ કાનજીભાઇ મહેતા, તથા સ્વ. જતિનભાઇ કિશોરભાઇ મહેતા તથા સમસ્ત મહેતા પરિવારના પુર્વજોની સદ્ગતી માટે રાજેશભાઇ મહેતા અને સંજયભાઇ મહેતા પરિવાર દ્વારા શ્રીમદ્ભાગવત સપ્તાહનું આયોજન કરાયું  છે, જેમાં પુ. રમેશભાઇ ઓઝા ના શિષ્ય પ્રકાશભાઇ પી.જોષી, કથાનું રસપાન કરાવી રહયા છે, જેમાં ભાવગત કથાના ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા ભાગવતાચાર્ય પ્રકાશભાઇ શાસ્ત્રી, રાજેશભાઇ મહેતા અને પરિવારજનો તેમજ પ્રકાશભાઇ જોષી અને સંજયભાઇ કે. મહેતા (પી.એસ.આઇ) નું સન્માન કરતા, જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના પ્રમુખ કમલેશભાઇ ભરાડ, અશોકભાઇ પંડયા અને સમગ્ર યુવક મંડળની ટીમ નજરે પડે છે. કાર્યક્રમનું સંચાલન દુર્ગેશભાઇ મહેતા એ કર્યુ હતું અને વ્યવસ્થા ભીખુભાઇ રવિયા અને  દિનેશભાઇ રવિયા એ સંભાળી હતી. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:54 am IST)