Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે બાંધકામ ન અટકાવાય તો આત્મવિલોપન

વઢવાણ, તા. ૧૩ :. સુરેન્દ્રનગરની સ્વસ્તિક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે દેરાસરનું બાંધકામ કરાતુ હોવાના આક્ષેપ સાથે ૧૦ થી વધુ રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી બાંધકામ ન અટકે  તો  આત્મવિલોપનની  ચીમકી આપી હતી.

શહેરના જીનતાન રોડ પરની સ્વસ્તિક સોસાયટીના બ્લોક નં. ૧૧ની જમીન પર દેરાસરનું બાંધકામ કરવામાં આવી રહ્યુ છે ત્યારે સોસાયટીના દામોદરભાઈ અગ્રાવત, કિરણભાઈ અગ્રાવત, અતુલભાઈ શાહ, વિરાજભાઈ શાહ સહિત ૧૦થી વધુ રહીશો આ બાંધકામ ગેરકાયદેસર કરાતુ હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરીમાં રજુઆત કરવા દોડી આવ્યા હતા અને પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપુતને આવેદનપત્ર આપી આ બાંધકામ અટકાવવા  માંગ  કરી  હતી.

(12:48 pm IST)