Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ગારીયાધાર મામલતદાર કચેરીની ફરિયાદ પેટી જ ખુદ ફરીયાદ બની ગઇ!!

ફરિયાદ પેટી પર કોઇએ કપડુ પણ માર્યુ નથી કરોળીયાના ઝાળા બાજી ગયા

ગારીયાધાર તા.૧૩: ગારીયાધાર મામલતદાર કચેરીમાં અરજદારની ફરીયાદ પેટી લાંબા સમયથી વિકાસ ઝંખી રહી છે. જે ફરીયાદ પેઢી પોતે આજે ફરીયાદ કરી રહી છે.

મામલતદાર કચેરી ખાતે છેલ્લા કેટલાક મહિનાઓથી કચેરીમાં આવેલી ફરીયાદ પેટી કચરા પેટી બની છે જેમાં ચાની વાટકીઓ નાખવામા આવી રહી છે. આ ફરીયાદ પેટી બાબા આદમ વખતના જમાનાની હોય તેમ પેટી ઉપર કરોળીયાના ઝાળા જોવા મળી રહ્યા છે.

આ ફરીયાદ પેટી જે જગ્યા ઉપર મુકાઇ છે તે જાળીઓ પર આવતા-જતા અરજદારો અને કર્મીઓ પાન-મસાલા ચાવીને પીચકારી કરતા જોવા મળે છે. આવી હાલતમાં પડેલી ફરીયાદ પેટીની દુર્દશા હોવા છતા નિર્ભર અધિકારી દ્વારા જાળવણી માટે કોઇ પગલા લેવાયા નથી. કચેરી આવા અણધણ વહીવટ સામે જીલ્લા અધિકારીઓ દ્વારા પગલા લેવામા઼ આવે તે જરૂરી બન્યુ છે.(૧૧.૩)

(11:56 am IST)