Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

અમરેલીનાં જીવાપરમાં ૩ સિંહોનો આતંકઃ ૪ વાછરડાનું મારણ

અમરેલી તા. ૧૩: અમરેલી જીલ્લાનાં જીવાપરમાં રાત્રીનાં ૩ સિંહોએ આતંક મચાવતા ખળભળાટ મચી ગયો છે અને આ વનરાજાએ ૪ વાછરડાનું મારણ કર્યું હતું.

કાલે મોડી રાત્રીનાં જીવાપરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર નજીક ૩ તથા બસ સ્ટેન્૯ વિસ્તારમાં એક વાછરડાનું મારણ કર્યું હતું.

મોડી રાત્રીના સિંહો શિકાર કરીને નાસી છૂટતા વહેલી સવારે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ વનરાજાને પાંજરામાં પુરવા ગ્રામજનો દ્વારા માંગ થઇ છે.

(11:54 am IST)