Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

પુત્ર કહ્યા વગર તેમના મામી પાસે સુરતમાં ચાલ્યો જતા સાવરકુંડલામાં પિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

માઠું લાગી જતા હરેશભાઇએ પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સાવરકુંડલા : સાવરકુંડલામાં પુત્ર કહ્યા વગર તેમના મમ્મી પાસે સુરત ચાલ્યો જતા પિતાને માઠું લગતા ગળેફાંસો ખાઈને આપઘાત કરતા શોકની લાગણી ફેલાઈ છે

આ અંગે મળતી વિગત મુજબ સાવરકુંડલાના સાવર સ્મશાન પાસે રહેતા હરેશભાઈ પોપટભાઈ બેરડીયાનો પુત્ર પ્રદીપભાઈ પિતાને પૂછયા વગર સુરત ખાતે તેમના મમ્મી પાસે જતો રહેતા હરેશભાઈને લાગી આવતા પોતાની મેળે સોમવારે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત થયાનું સાવરકુંડલા ટાઉન પોલીસમાં જાહેર થવા પામેલ છે.

(11:56 pm IST)