Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અમરેલીમાં બાઇક થાંભલામાં અથડાતાં ૧૬ વર્ષના વિરસિંગ વાઘેલાનું મોત

માતાએ કેટરર્સનું કામ રાખ્યું હોઇ ત્યાંથી જમીને પરત આવતી વખતે બનાવ : રાજકોટમાં દમ તોડ્યોઃ પાછળ બેઠેલા ટાબરીયાનો ચમ્તકારીક બચાવ

રાજકોટ તા. ૧૩: અમરેલીના જેસીંગપરા સિતારામનગરમાં રહેતાં વિરસિંગ સમેરસિંગ વાઘેલા (ઉ.૧૬) નામના નટ બજાણીયા તરૂણનું બાઇક થાંભલા સાથે અથડાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

વિરસિંગ તા. ૧૦ના રોજ રાત્રે નજીકમાં તેના માતા માનીતીબેને કેટરર્સનું કામ રાખ્યું હોઇ ત્યાં બાઇક લઇને જમવા ગયો હતો. જમીને પરત ઘરે આવી રહ્યા હતો ત્યારે રસ્તામાં એક છોકરાએ લિફટ માંગતા તેને  પણ વિરસિંગે પાછળ બેસાડ્યો હતો. રસ્તામાં કોઇપણ કારણોસર બાઇક થાંભલા સાથે અથડતાં બંને ટેણીયા ફંગોળાઇ ગયા હતાં. જેમાં પાછળ બેઠેલાનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્યારે વિરસિંગને ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અહિ ગત રાત્રે વિરસિંગનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદી અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી અમરેલી જાણ કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇમાં બીજો હતો અને કડીયા કામની મજૂરી કરતો હતો.

(3:39 pm IST)