Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઉનામાં મારૂ રાજપૂત સમાજનાં ૨૭માં સમૂહલગ્ન યોજાયાઃ ૨૩ નવદંપતિના પ્રભુતામાં પગલા

ઉના તા. ૧૩ :. શ્રી મારૂ રાજપૂત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મારૂ રાજપૂત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ-ઉના દ્વારા ૨૭મો સમૂહલગ્ન મહોત્સવ જ્ઞાતિના તથા સમાજના વડીલોની હાજરીમાં યોજાયો હતો.

સમાજનાં ૨૩ નવદંપતિઓએ શાસ્ત્રોકત વિધિથી પ્રભુતામાં પગલા પાડયા હતા તથા સમૂહલગ્ન સમિતિ દ્વારા યોજાયેલ ભોજન સમારોહમાં સમાજના હજારો ભાઈઓ-બહેનોએ સમુહ ભોજન લીધુ હતું. અંતમાં તમામ વર-કન્યાઓને આયોજક તથા દાતાઓ દ્વારા ૫૪થી વધુ ઘર ઉપયોગી વસ્તુ ભેટ આપી કન્યા વિદાય કરી હતી. કાર્યક્રમ સફળ બનાવવા સમિતિના આગેવાન કાળુભાઈ નારણભાઈ ડાંગોદરા (પ્રમુખશ્રી મારૂ રાજપૂત સમાજ) તથા જ્ઞાતિના તમામ ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.(૨-૪)

(10:10 am IST)