Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જામનગરમાં ૯ વર્ષની બાળાની ક્રુર હત્યાઃ દુષ્કર્મ આચર્યાની શંકા

રાજકોટમાં ૩ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ-હત્યા પ્રકરણમાં હજુ આરોપીઓ પકડાયા નથી ત્યાં હાલારમાં ફિટકાર વરસાવતી ઘટના...

જામનગર તા.૧૩ :  રાજકોટમાં ર થી ૩ દિવસ પહેલા ૩ વર્ષની માસુમ બાળા ઉપર દુષ્કર્મ આચરીને તેની હત્યા કર્યાની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં જામનગરમાં ૯ વર્ષની બાળાની હત્યા થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાની આશંકા છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં ૯ વર્ષની બાળાની હત્યા થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાવકા ભાઇએ જ નાની બહેનની હત્યા કરી હોવાની પણ આશંકા સેવાઇ રહી છે.

જો કે પરિવારજનો મકાન ઉપર પડી જતા મોત થયાનુ જણાવી રહ્યા છે તો બીજી તરફ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

આ બનાવ અંગે જામનગર પોલીસ કંટ્રોલરૂમના અહેવાલમાં જણાવાયુ છે કે ૯ વર્ષની બાળાની હત્યા અંગે સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે સીટી સી ડીવીઝન પોલીસનો સંપર્ક કરતા હત્યાના બનાવ અંગે સમર્થન આપ્યુ હતુ અને જી.જી.હોસ્પિટલમાં પોલીસ કાફલો તપાસ કરી રહ્યો હોવાનુ જણાવ્યુ હતુ. વધુ વિગતો મેળવાઇ રહી છે. (૩-૧૬)

(3:47 pm IST)