Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જુનાગઢ શિવરાત્રીના મેળામાં ભચાઉ પંથકના ભાવિકનું હૃદયરોગના હુમલાથી મોત

જુનાગઢ, તા. ૧૩: સોરઠ પંથકમાં યમરાજાના ધામા હોય તેમ શીવરાત્રીના મેળામાં આવેલા યાત્રાળુનું વૃધ્ધ રોગના હુમલાથી મોત થતા અરેરાટી વ્યાપી છે.

જુનાગઢના ભવનાથ આગેલી શ્યામ વાડીમાં ભવનાથ દર્શન આવેલા કચ્છના ભચાઉ પંથકના બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૪ર)નું ગઇકાલે હૃદય રોગના હુમલાથી મોત થયું.

ભેસાણના પરબ વાવડી ગામે કુવો ગાળતી વખતે ઉપરથી પત્થરો પડતા સમજૂ સુરાભાઇ (ઉ.વ.ર૭)નું ગંભીર ઇજાના કારણે મોત થયું.

માણાવદરના લીલાવંતી બેન હરજી (ઉ.વ.૬૩)ને ૧પ વર્ષથી કમરનો દુખાવો અને નીસંતાન પણાથી કંટાળો આવતા ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી.

(3:38 pm IST)