Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

શાખપુર ગામે શાળામાં આરોગ્યની તપાસ

 દામનગરઃ તાલુકાના શાખપુર ગામે શાળામાં બાળકોના આરોગ્યની તપાસ સંદર્ભે રાઇ ડો. હરિવદન પરમાર, ભાવિનભાઇ મહેતા, નીતાબેન ભાસ્કર દ્વારા તમામ બાળકોની ઉંચાઇ, વજન અને આરોગ્યની તપાસ કરવા સાથેજ કુપોષણ વાળી બાળકોને દવા આપવામાં આવી હતી. જયારે અજય ચોથાભાઇને અમરેલી બતાવવા જવાનું કહેવાયુ હતું. તો મકવાણા મહેશ અશોકભાઇને પણ અમરેલી કાન-નાક-ગળાની તબીબને બતાવવા માટે રિફર કરાયો હતો. સાથે સાથે બાળકોને શરીરની સ્વચ્છતા વિશે વિશેષ સમજણ પણ અપાઇ હતી કેમ્પને સફળ બનાવવા આચાર્ય વસંતબેન વી.સીતાપરા અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તસ્વીરોમાં બાળકોની તપાસ થતી દર્શાય છે.(તસ્વીરઃ વિમલ ઠાકર, દામનગર)

(11:32 am IST)