Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અમરેલીમાં સારવારમાં કોરોના દર્દીનું મોતઃ માત્ર ૧ પોઝીટીવ કેસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૩ :. અમરેલીમાં સારવાર દરમિયાન કુંડલાના કોરોના પોઝીટીવ દર્દીનું મોત થયુ છે. અમરેલી જિલ્લામાં જતા જતા પણ કોરોના ફુંફાડો મારતો હોય તેમ શનિવાર અને રવિવારે કોરોનાના દર્દીઓના મોત નિપજ્યા બાદ સોમવાર ખાલી ગયો હતો, ત્યાં કાલે મંગળવારે અમરેલીમાં સારવાર દરમિયાન કુંડલાના કોરોના પોઝીટીવ દર્દીનું મોત નિપજ્યુ હતું. સાવરકુંડલાના આઝાદ ચોક પાસેની આડી શેરીના ૬૫ વર્ષીય પુરૂષ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ અને આજે જિલ્લામાં કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો છે. જ્યારે ૮ દર્દીઓ સાજા થયા હતા અને ૨૮ દર્દીઓ સારવારમાં છે જ્યારે કોરોનાના કુલ કેસની સંખ્યા જિલ્લામાં ૩૭૪૮ થઈ છે.

(1:12 pm IST)