Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સોમનાથ ટ્રસ્‍ટની બેઠક આજે ફરી મોકુફ

નરેન્‍દ્રભાઈ મોદીના અધ્‍યક્ષ સ્‍થાને વર્ચ્‍યુઅલ બેઠક યોજાનાર હતીઃ હવે નવી તારીખ જાહેર થશે

પ્રભાસપાટણ-વેરાવળ, તા. ૧૩ :. શ્રી સોમનાથ ટ્રસ્‍ટની આજે સાંજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતામાં વર્ચ્‍યુઅલ મિટીંગ યોજાવાની હતી પરંતુ આજે બીજી વખત આ મીટીંગ મોકુફ રહી છે.

રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું અવસાન થતા તેમની ખાલી પડેલી જગ્‍યા માટે ટ્રસ્‍ટીની નિમણૂક માટે આજે સાંજે ૬ વાગ્‍યે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતામાં નવા ટ્રસ્‍ટીની નિમણૂક માટે મિટીંગ યોજાનાર હતી પરંતુ પીએમઓમાંથી ટ્રસ્‍ટી-સેક્રેટરી પી.કે. લહેરીને આ મિટીંગ મોકુફ રાખવામાં આવી હોવાનુ જણાવવામાં આવ્‍યુ છે.

આ અંગે શ્રી સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અકિલાને જણાવ્‍યુ હતુ કે આજની મિટીંગ મોકુફ રહી છે. જો કે તેના કારણ અંગે કોઈ જાણકારી નથી. નવી તારીખ લગભગ સાંજે જાહેર થાય તેવી શકયતા છે.

(11:57 am IST)