Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

જામનગર રાજપૂત મહિલા સંગઠન દ્વારા ટાઉનહોલમાં મહિલા અધિવેશન યોજાયું

કરણીસેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીસહિત રાજપૂત સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

 

જામનગર રાજપૂત મહિલા સંગઠન દ્વારા શહેર મધ્યે આવેલા ટાઉનહોલમાં મહિલા અધિવેશનને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં ગુજરાતભરમાંથી રાજકોટ અમદાવાદ કચ્છ થી રાજપૂત સમાજના આગેવાનો અને કરણીસેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી ઉપસ્થિત રહી રાજપૂત સમાજની મહિલાઓને સંબોધી હતી.

   કાર્યક્રમનું સમગ્ર આયોજન જામનગરના રાજપૂત સમાજની મહિલા આગેવાન તેમજ પ્રસિદ્ધ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની રીવાબા જાડેજા કર્યું હતું

(11:44 pm IST)