Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

જુનાગઢમાં JEE/NEET નો સેમિનાર યોજાયોઃ ૩૦ શાળાના વિદ્યાર્થીઓએ લીધો લાભ

જુનાગઢ તા. ૧૩: કૃષિ યુનિવર્સીટીના ઓડીટોરીયમ હોલ ખાતે વિજ્ઞાન પ્રવાહના ધો. ૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓ માટે JEE/NEET નો વિનામુલ્યે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો જેમાં ભાવનગરના પ્રખ્યાત જ્ઞાનમંજુરી સ્કુલના ફાઉન્ડર ટ્રસ્ટી અને તજજ્ઞ શિક્ષક એમ. એમ. નાકરાણી અને જાુનાગઢના જીલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલા દ્વારા આ સેમીનારમાં માર્ગદર્શન આપવામાં આવેલ આ સેમીનારમાં મુખ્યત્વે ધો. ૧૦ અને ૧૧, ૧ર સાયન્સની ૩૦ જેટલી સ્કુલોએ લાભ લીધો હતો. કાર્યક્રમનું જ્ઞાનમંજુરી એન્જીનીયરીંગ કોલેજના પ્રો. મૃગેશ મકવાણા દ્વારા આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું.

(11:56 am IST)