Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

જામનગરમાં રોડ-બ્લોકના કામનું ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખાતમુહુર્ત

જામનગરઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૩માં રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ની ગ્રાન્ટમાંથી ગોકુલધામ સોસાયટી શેરી નં.૪માં એપ્રોચ સી.સી.રોડના કામ તેમજ નરેન્દ્રસિંહ જાડેજાના ઘર સામે સી.સી.બ્લોકના કામ માટે રૂ.૧.૯ર લાખના કામનુ ખાતમુહુર્ત મંત્રી હકુભા જાડેજા તેમજ મહાનગરપાલિકાના મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી અને આ વિસ્તારના કોર્પોરેટરો દિનેશભાઇ પટેલ, અલ્કાબા જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા સહિતનાની હાજરીમાં ખાતમુહુર્ત કરાયું હતું.આ પ્રસંગે ડો.વિમલભાઇ કગથરા, પ્રકાશભાઇ બાંભણીયા, ખુમાનસિંહ સરવૈયા, દિપકભાઇ વાછાણી, વિજયસિંહ જેઠવા, દિલીપસિંહ જાડેજા, અશ્વિનભાઇ છાપીયા, વિજયસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાવલ, નરેનભાઇ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, સુનિલભાઇ શાહ, રિષિભાઇ ટાંક, નગીનભાઇ ખીરસરીયા, આઇ.જી.જાડેજા, કુલદિપસિંંહ જાડેજા, બ્રિજરાજસિંહ સોઢા, જયુભાઇ ગઢવી, જયેન્દ્રસિંહ ઝાલા (વકીલ), પિન્ટુભાઇ જાડેજા (લાખાણી), સી.એમ.જાડેજા, કોકીલાબા નરેન્દ્રસિંહ જાડેજા, સ્વરૂપબા જાડેજા, પ્રવિણસિંહ કે. જાડેજા, વિનય જાની, દિનેશ માલધારી હાજર રહ્યા હતા. જયારે ખાતમુહુર્ત સમયે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા ગટરના પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું કામ હાથ ધરવા મહિલાઓ દ્વારા રજુઆત કરાતા રાજયકક્ષાના મંત્રીએ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ આ કામ કરવા માટે પણ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. (તસ્વીરઃ અહેવાલ, મુકુંદ બદિયાણી-જામનગર)(

(1:24 pm IST)