Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

કુંકાવાવ રેન્જ હેઠળ વન્યપ્રાણીની રંજાડ પ્રશ્ને કંટ્રોલ રૂમ ચાલુ કરાયો

કંટ્રોલ રૂમ મારફત જાહેર જનતા વન્યપ્રાણી અંગેની માહિતી વન વિભાગને આપી શકશે

અમરેલી, તા.૧૨: સામાજિક વનીકરણ વિભાગ અમરેલી હસ્તકની કુંકાવાવ રેન્જના બગસરા તાલુકામાં કેટલાક સમયથી વન્યપ્રાણી દીપડાની રંજાડ અંગેના બનાવ બન્યા છે. જેને ધ્યાને લઈને જાહેર જનતા વન્યપ્રાણી દીપડા અંગેની કોઈપણ માહિતીની આપ-લે કરી શકે તે હેતુથી વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યકિત કંટ્રોલ રૂમના ૦૨૭૯૨ ૨૨૨૬૦૩ નંબર ઉપર અથવા રાઉન્ડ ફોરેસ્ટરશ્રી એચ. જે. વાંદાના મોબાઈલ નંબર ૯૯૨૫૧ ૭૯૮૨૭ ઉપર સંપર્ક સાધી શકશે

(11:59 am IST)