Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

વિકાસ જર્જરિત થયો !!

તળાજા પાલિકાનો વિજપોલ સડીને ધરાશાઈ રાહદારીને ઇજા

તળાજા, તા.૧૨: તળાજાનગર પાલિકા એ લોકસુવિધા માટે વર્ષો પહેલા જાહેર રસ્તા અને ખાસ ચોકને પ્રકાશિત કરવા માટે ચાર લાઈટો વાળા ટાવર ઉભા કર્યા હતા. લગભગ એક દસકામાંજ પોલ જર્જરિત થઈને જમીન દોસ્ત થવાની આશ્ચર્યજનક ઘટના ગત સાંજે બનવા પામી.

વારાહી મંદિર વાળા ચોકમાં મુકેલ ટાવર નો વિજપોલ તૂટીને જમીન દોસ્ત થતા અહીંથી પસાર થતા અજયભાઈ કામરોલ વાળા ને માથાના ભાગે ઇજા થવા પામી હતી.અચાનક જ વિજપોલ તૂટી ને પડતા અહીં લોકો એકઠા થઇ ગયા હતા.પાલિકાને જાણ કરતા આજે ફરી ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. આ પ્રથમ ઘટના છે જેના પરથી પાલિકા એ  શીખ લઈ શહેરમાં આવેલ વિજપોલનો સર્વે કરી જર્જરિત પોલને હટાવવા રહ્યા જેથી ભવિષ્યમાં મોટી નુકશાનીથી બચી શકાય.

(11:33 am IST)