Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ભાવનગરઃ ગાડરીયા દાદરીમાં શિવ પુરાણ કથાનો પ્રારંભ

ભાવનગર તા.૧૨: વલસાડપાસે ગાડરીયા દાદરી ગામે બ્રહ્મદેવ મંદિર પટાંગણમાં શિવપુરાણનો પ્રારંભ થયેલ છે, વ્યાસાસને ગાગોદર(કચ્છ)ના ચંડિકા કિંકર આચાર્ય પ.પૂ.શ્રી નવલશંકર કે રાજગોર બીરાજી આગવી શૈલીમાં હજારો ભાવિકોને અમૃત પાન કરાવી રહ્યાં છે.

માતુશ્રી ધની બહેન સી.વી. છેડા (રજવાડી પરિવાર વલસાડ) ના મુખ્ય યજમાન પદે શિવકથામાં તા.૧૨ ભગવતી પ્રાગટય તા.૧૩ શિવ પાર્વતી વિવાહન તા. ૧૪ ગણેશ કાર્તિક જન્મોત્સવ, તા. ૧૭ બાર જયોર્તિલિંગ પ્રાગટય થશે. વલસાડ રજવાડી પરિવારના મોભી ધરમશીભાઇ છેડા ના જણાવ્યાનુંસાર રોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ કાશીના પુરાણ ઇતિહાસના આચાર્ય જૈમિનિ ઋષીની વાણીથી સમગ્ર પ્રભાવીત થયેલ છે.

(11:59 am IST)