Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પોરબંદરમાં ર દિ'થી ગુમ મજુરનો મૃતદેહ મળ્યોઃ હત્યા કે અકસ્માત?

મૃતદેહ મળ્યો તે નારણભાઇ હરદાસભાઇ મગરાના પરિવારજનોએ હત્યાની આશંકા કરીને તપાસની માંગણી કરીઃ સીટી ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧ર : ધરમપુર ખાડીમાં આધેડવયના નારણભાઇ હરદાસભાઇ મગરાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી જઇને તપાસ શરૂ કરી છે.

જેનો મૃતદેહ મળ્યો તેનું નામ નારણભાઇ હરદાસભાઇ મગરા હોવાનું તથા નારણભાઇ મજુરીકામ કરતા હોવાનું ખુલ્યુ છે.

ધરમપુર ખાડીના પાણીમાં પડેલ નારણભાઇ હરદાસભાઇના મૃતદેહને પોલીસે બહાર કઢાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.

આધેડવયના નારણભાઇનો મૃતદેહ મળ્યા બાદ નારણભાઇના પરિવારજનોએ હત્યાની આશંકા દર્શાવીને ઉંડાણપુર્વક તપાસ કરવા માંગણી કરી છે. નારણભાઇની લાશ મળી તે સ્થળે પોલીસ કાફલા સાથે સીટી ડીવાયએસપી દોડી ગયેલ હતાં. બે દિવસથી ગુમ નારણભાઇની હત્યા અકસ્માત કે આપઘાત તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે. 

(12:18 pm IST)