Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સાવરકુંડલામાં જલારામ બાપાની શોભાયાત્રા

રાજકીય-સામાજીક-વેપારી આગેવાનો દ્વારા સ્વાગત કરાયું: ધારાસભ્ય દૂધાતે જલારામ બાપાનાં આશિર્વાદ મેળવ્યા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧રઃ સંત શિરોમણી પૂજય જલારામ બાપાની રરરમી જન્મ જયંતિ નિમિતે રઘુવંશી સમાજ દ્વારા પૂજય બાપાના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું પૂજય જલારામ બાપાના મંદિરેથી સવારે દસ કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન થયેલું. જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી ભાઇઓ-બ્હેનોએ હાજરી આપતા વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી ત્યારે જેતે વિસ્તારમાં શહેરનાં રાજકિય-સામાજીક અને વેપારી આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દેવળા ગેઇટ પાસે પહોંચી ત્યારે ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી ચંદ્રેશભાઇ રવાણીએ શોભાયાત્રાનું સ્વાગત કરી પૂજય જલારામ બાપાની ચિત્ર પ્રતિમાને ફુલહાર પહેરાવી પૂજય બાપાના આર્શિવાદ મેળવ્યા હતા, તો બટુક હનુમાનજી પાસે શોભાયાત્રા પહોંચતા સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા અને ઇલેકટ્રીક વજન કાંટાનાં આગેવાન વેપારીબંધુ પંકજભાઇ નગદિયા અને રાજુભાઇ નગદિયાએ શોભાયાત્રા સ્વાગત કરી પૂજય જલારામ બાપાનાં ચરણોમાં શિશ જુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

(12:16 pm IST)