Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જસદણ-વિંછીયા શહેર તાલુકા ભાજપનું સ્નેહમિલન

જસદણ : આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલ એમ એમ યાન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જસદણ વિછીયા ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરતભાઇ બોઘરાના અધ્યક્ષ સ્થાને જસદણ-વિંછીયા શહેર તાલુકા ભાજપ નું સ્નેહમિલન યોજાયું હતું જેમાં હજારોની સંખ્યામાં આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો ઉમટી પડ્યા હતા. આ સ્નેહમિલનમાં રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા જિલ્લા ના મહામંત્રી મનસુખભાઈ રામાણી જસદણના રાજવી દરબાર સત્યજીત કુમાર ખાચર સહિત રાજકોટ જિલ્લા ભાજપના વિવિધ શ્રેણીના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નૂતન વર્ષના સ્નેહભર્યા સ્નેહમિલનમાં જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો સરપંચો તેમજ જસદણ-વિંછીયા શહેર તાલુકા ભાજપના વિવિધ મોરચાના તેમજ વિવિધ શ્રેણી ના હોદેદારો આગેવાનો કાર્યકરો હજારોની સંખ્યામાં હાજર રહી અને શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

(11:28 am IST)