Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સોમનાથમાં લંડનના પરિવાર દ્વારા પૂ. જલારામબાપા જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા

 પ્રભાસ પાટણ : સોમનાથમાં જલારામ જયંતિ નિમિતે લંડનનો પરિવાર મુકુંદભાઇ ચુડાસમા અને મીનાબેન ચૂડાસમા કોરોનાને કારણે તમામ ટેસ્ટ કરાવ્યા બાદ તેઓ સોમનાથ આવેલ છે અને જલારામ જયંતિ નિમિતે મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સવારના આરતી કેક કાપવામાં આવેલ પુજા અને ધ્વજા રોહણ તેમજ સાંજના ચાર કલાકે જલારામ મંદિરથી લાઇવ મ્યુઝિક સાથે ફટાકડાની રમઝટ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી અને પાટચકલા, સોમનાથ, મંદિર, મેઇન બજાર, જૈન દેરાસર થઇ અને જલારામ મંદિર પૂર્ણ થયેલ તેમજ ધુન - ભજન રાખવામાં આવેલ અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.  (તસ્વીર : દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(11:27 am IST)